મુલાકાત બદલ આભાર

શનિવાર, 16 માર્ચ, 2013

સરદાર સરોવર



સરદાર સરોવર



સરદાર સરોવરનું આમ તો નામ સાંભળીને એમ થાય છે કે કેવું હશે તે? કેમકે જે યોજનાની પાછળ આટલો બધો ખર્ચ થયો અને આટલા બધા વિવાદો ઉભા થયાં તે સાંભળ્યાં પછી તો ભલભલાને એમ થાય કે શું સરદાર સરોવર જોવું જોઈએ? વળી જેના લીધે ગુજરાતના તાત સમાન ખેડુતોના ચેહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ તેને તો અવશ્ય જોવું જોઈએ. તો આવો તેના વિશે થોડીક માહિતી જાણીએ-

સરદાર સરોવર બંધ ભરૂચની પાસે આવેલ કેવડિયા કોલોનીની નજીક બંધવામાં આવ્યો છે. 130 મીટર ઉંચા આ બંધને નર્મદાનું પાણી મળે છે. આ યોજનાનું કાર્ય પૂર્ણ થતાની સાથે જ ગુજરાતના કરોડો લોકોના ચહેરાઓ પર ખુશી આવી ગઈ હતી. કેમકે આ બંધનું પાણી આખા ગુજરાતના લોકોને મળે છે એટલું જ નહિ વળી ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢને પણ આનો લાભો મળી રહ્યો છે.

આ સ્થળ રજાઓ ગાળવા માટેનું અને પીકનીક માટે ઉત્તમ છે.અહીંના જંગલો, ઝરણાઓ, ટેકરીઓ વગેરે જોવાલાયક છે.

બંધની નજીક આવેલ થોડોક જમીન વિસ્તાર સરદાર સરોવર નર્મદા નિગમની માલીકીની જમીન છે. જ્યાં પ્રવાસીયો માટે પ્રાથમિક પ્રવાસન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બગીચાઓ, રેસ્ટોરંટ અને વિશ્રામ કુટીર પણ છે. અહીંયા પ્રવાસનના વિકાસના હેતુથી ખાણી-પીણીના સ્ટોલ, હોટલ, સાહસી રમતોની સુવિધાનું આયોજન પણ કરાયેલ છે. વળી પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે.

આ સ્થળ બરોડાથી 55 કિલોમીટરની દૂરી પર આવેલ છે. ત્યાં જવા માટેનો રસ્તો પણ સરળ હોવાથી કોઈ પ્રકારની મુશ્કેલી પડતી નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો