મુલાકાત બદલ આભાર

ગુરુવાર, 12 જુલાઈ, 2012

કુંભ મેળા નો ઈતિહાસ

  • કુંભ મેળા નો ઈતિહાસ

 

હરિદ્વારમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના પવિત્ર દિવસથી પૂર્ણ કુંભમેળાનો પ્રારંભ થઈ ગયો છે.હરિદ્વારનો કુંભમેળો સાડા ત્રણ મહિના ચાલવાનો છે અને બીજાં ૧૦ મળી કુલ ૧૧ સ્નાન થશે.
કુંભમેળાની શરૃઆત કઈ રીતે થઈ તેનો ઈતિહાસ અત્યંત રસપ્રદ છે.હિન્દુ માન્યતા
પ્રમાણે દેવો-દાનવોએ અમરત્વ પામવા માટે અમૃતકુંભ મેળવવા સમુદ્રમંથન કર્યું હતું અને સમુદ્રમંથન પછી અમૃતકુંભ મળ્યો તે પછી મોહિનીરૃપ ધારણ કરીને આવેલા વિષ્ણુએ ચાલાકીથી દેવોને અમૃત આપી અમરત્વ આપ્યું પછી કુંભને પામવા માટે આકાશમાં બાર દિવસ અને બાર રાત્રિ સુધી યુદ્ધ થયું હતું. મોહિનીરૃપ ધારણ કરીને આવેલા વિષ્ણુ કુંભ લઈને ભાગ્યા ત્યારે તેમાંથી થોડાંક ટીપાં ચાર સ્થળે પડયાં હતાં. આ ચાર સ્થળો એટલે પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. આ ચાર સ્થળો પર અમૃતનાં ટીપાં પડયાં તેથી તેમને પણ અમરત્વ મળ્યું અને દાનવો સાથે બાર વર્ષ યુદ્ધ ચાલ્યું હતું તેથી દર બાર વર્ષે વારાફરતી આ સ્થળોએ કુંભમેળો યોજાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો