મુલાકાત બદલ આભાર

મંગળવાર, 29 જાન્યુઆરી, 2013

ગુજરાતનાં ભાતિગળ મેળા


ગુજરાતનાં ભાતિગળ મેળા 


કહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્‍માષ્‍ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી, રક્ષાબંધન હોય કે ઋષિપંચમી દરેક તહેવારનું ગુજરાતીઓના જીવનમાં એક વિશેષ મહત્વ છે.

સર્વેમાં મેળાનું સ્‍થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. મેળા અને ગુજરાતી પ્રજા એકબીજાના પર્યાયી છે. અને આ કારણે જ ગુજરાતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. ગરવી ગુજરાતમાં દર વર્ષે અસંખ્ય મેળાઓનું આયોજન થાય છે.


  • તરણેતરનો મેળો (ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેળો)

ગુજરાતના મેળામાં તરણેતરના મેળાનું આગવું સ્‍થાન છે. સૌરાષ્‍ટ્રના સુરેન્‍દ્રનગર જીલ્‍લામાં દર વર્ષે આ મેળોનું આયોજન થાય છે. આ મેળામાં સૌરાષ્‍ટ્રના ગ્રામીણ લોકો જેવાકે ભરવાડ, કાઠી, કોળી, રબારી વગેરે પોતપોતાના ભાતીગળ પોશાકમાં આવીને મેળાની શોભા વધારે છે.

પૌરાણીક કથા મુજબ દ્રૌપદીનો સ્‍વયંવર અહીં યોજાયેલો હતો. અને તેમાં અર્જુને દ્રોપદી સાથે લગ્ન કર્યા હતાં. અર્જુન-દ્રૌપદીના લગ્નની યાદમાં આ ભાતીગળ લોકમેળો યોજવામાં આવે છે. અહીં ગ્રામીણ યુવક-યુવતીઓ એક-બીજાને પસંદ કરી પોતાના વેવિશાળ કરે છે. યુવકો યુવતીને આકર્ષવા માટે રંગબેરંગી છત્રીઓ બનાવીને લાવે છે.


  • ભવનાથનો મેળો (શિવરાત્રીનો મેળો)

જુનાગઢમાં શિવરાત્રીએ ગીરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. આ મેળાને નાગા બાવાઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવરાત્રીની મધ્યરાત્રીએ શંખનાદ સાથે નાગા બાવાનું વિશાળ સરઘસ ભવનાથ મંદિરે જાય છે. અને ત્‍યાં પવિત્ર મૃગી કુંડમાં સૌ સાધુ-સંતો રાત્રીના સ્‍નાન કરે છે.

પૌરાણીક કથા મુજબ ગીરનાર પર્વતને નવનાથ અને ૮૪ સિદ્ધોનું નિવાસ સ્‍થાન કહેવામાં આવે છે. દંતકથા મુજબ ગીરનાર પર્વતપર હજારો વર્ષોથી રહેતા સાધુઓ અને નવનાથ મૃગીકુંડમાં સ્‍નાન કરવા આવે છે.


  • વૌઠાનો મેળો

વૌઠાનો મેળો ગુજરાતનો અનોખો મેળો છે. જેમ પુષ્‍કરમાં ઉંટનો પ્રખ્યાત મેળો ભરાય છે તેમ ગુજરાતમાં 


કહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્‍માષ્‍ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી, રક્ષાબંધન હોય કે ઋષિપંચમી દરેક તહેવારનું ગુજરાતીઓના જીવનમાં એક વિશેષ મહત્વ છે.

સર્વેમાં મેળાનું સ્‍થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. મેળા અને ગુજરાતી પ્રજા એકબીજાના પર્યાયી છે. અને આ કારણે જ ગુજરાતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. ગરવી ગુજરાતમાં દર વર્ષે અસંખ્ય મેળાઓનું આયોજન થાય છે.

૨૯ જાન્યુઆરી વિલિયમ રોધેન્સ્ટાઇન



વિલિયમ રોધેન્સ્ટાઇન ૨૯ જાન્યુઆરી
  

 ભારતીય કલા અને સંસ્કૃતિના સક્રીય પુરસ્કર્તા સર વિલિયમ રોધેન્સ્ટાઇનનો જન્મ 29/1/1872માં ઇંગ્લેન્ડમાં થયો  હતો..નાનપણથી  તેમને  ચિત્ર દોરવાનો અને કંઇને  કંઇ સાહિત્ય વાંચવાનો અદમ્ય  શોખ હતો. ન્યુ ઇંગ્લીશ આર્ટ કલબનામના કલાકાર મંડળમાં પણ  જોડાયેલા. હર્બર્ટ યુનિવર્સિટીના વાઇસ ચાન્ચેલર તેમજ રૉયલ કૉલેજ ઓવ આર્ટસના સંચાલક તરીકે તેમણે યશસ્વી કામગીરી કરી હતી.તેમણે આત્મકથનાત્મક ત્રણ સચિત્ર  ગ્રંથો બહાર પાડ્યા છે. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં જહાંગીરના દરબારમાં સર ટોમસ  રોની મુલાકાતએ સૌથી મોટું ને ભવ્ય ભીંતચિત્ર સર વિલિયમનું કાયમી સંભારણું છે.બેઠા રંગોમાં ચિત્ર કરવાની  જે શૈલી તેમણે આત્મસાત  કરેલી  તેને  ઉઠાવ આપવાનું  કામ તેમણે કરેલું. અજંતાના  ચિત્રોની વધુ આધારભૂત નકલ ઉતારવા લેડી હેરિંગહામ  સાથે હિંદની કલાયાત્રાએ પણ તેઓ આવી ગયેલા. તેમના શુભ પ્રયાસથી જ રવીન્દ્રનાથ ટાગોરનો  ‘ગીતાંજલીકાવ્યસંગ્રહ પહેલી વાર ઇન્ડિયા સોસાયટી માટે પ્રસિદ્ધ કરવામાંઆવ્યો હતો અને જગપ્રસિદ્ધ નોબેલ પારિતોષિકપ્રાપ્ત થયું હતું.ભારતવાસ દરમિયાન તેમને થયેલા મહત્વના  સંપર્કો પૈકીનો મુખ્ય હતો ટાગોર પરિવાર સાથેનો. ઇ.સ.1945 માં  તેમણે  ચિરવિદાય લીધી. હિંદી કલાને વિશ્વવિખ્યાત  બનાવવા આ મહાન કલાકારે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. લંડનનાઇન્ડિયા હાઉસના ચિત્રો હિંદી કલાકારો પાસે જ કરાવાવાનો  યશ તેમને ફાળે જાય છે.

સોમવાર, 28 જાન્યુઆરી, 2013

૨૮ જાન્યુઆરી લાલા લજપતરાય



લાલા લજપતરાય ૨૮ જાન્યુઆરી


   લાલ,બાલ  અને પાલની પ્રખ્યાત ત્રિપુટીમાં  એક પ્રભાવશાળી વ્યક્તિત્વ  અને નવયુવાનોના હ્રદયમાં  આદરરણીય  સ્થાન  ધરાવતા લાલા  લજપતરાયનો  જન્મ  28/1/1865 ના રોજ થયો હતો.મિડલ સ્કૂલની પરીક્ષા કરી, કૉલેજમાં  શિષ્યવૃતિ    મેળવી અને  વકીલાત શરૂ  કરી. પૂનામાં ફાટી નીકળેલા  ભયંકર પ્લેગ સમયે, દુષ્કાળ વખતે અનાથ ને દુ:ખી ભાઇભાંડુઓને  સક્રીય મદદ કરવા માટે લાલાજીએ  દિન-રાત એક કરીને આપણી  સમક્ષ એક અનન્ય અને  પ્રેરક દ્દષ્ટાંત રજૂ કર્યું. ઇંગ્લેન્ડ જઇ ભારતની પરતંત્રતા અને ભારતવાસીઓના હક્ક  પર ઠેરઠેર વ્યાખ્યાનો આપી  લોકમત જાગૃત કર્યો. તેમણે  ‘પંજાબી મુખપત્ર દ્વારા અંગ્રેજોના વલણો અંગે સખત ઝાટકણી કાઢી.તેમણે ‘ગોરીબાલ્ડી’, ’છત્રપતિ શિવાજી’, ’શ્રદ્ધાનંદજી’, ’શ્રી કૃષ્ણએમ કુલ ચાર પુસ્તકો લખ્યા. ગાંધીજીએ આરંભેલી અસહકારની ચળવળમાં લાલાજી જીવ્યા ત્યાંસુધી  મોખરે રહ્યાં.સાયમન  કમિશનનો બહિષ્કાર  કરવા કાઢેલા સરઘસની આગેવાની  લેવા બદલ અંગ્રેજ પોલીસોના આડેધડ લાઠીમારથી ઇ.સ.1928માં અમરશહીદીને વર્યાં.તેઓએ કહેલું : મને  મારેલી  પ્રત્યેક લાઠીના  કારમા ઘા બ્રિટિશ સામ્રાજયના કફનનો એક  એક ખીલો પુરવાર થશે.જે સાચી જ પડી.દિનબંધુ એન્ડ્રુઝે અંજલિ આપતા કહ્યું કે 'તેઓ વીરોના પણ વીર હતા અને  આના કરતા તેઓ કયું સારું મૃત્યુ ઇચ્છત !